Acerca del kamsutra
આ એપ અાઢાર વર્ષ કે તેથિ વધુ ઉમર નિ આયુ ધરાવતા લોકો માટેજ છે. જેનિ નોંધ લેવિ.
‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું?
જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે.
ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી -આ ચાર આશ્રમો છે. એમના બધા મોક્ષ ઇચ્છતા નથી તેથી જ ધર્મ, અર્થ અને કામ જ પરમ પુરુષાર્થ છે.
સંસારના સર્વોત્તમ પદાર્થોમાં આ ત્રણની ગણના કરવામાં આવે છે. જે માનવી આ ત્રણ નું યથાર્થ પાલન કરે છે તે સંસારયાત્રા માં વિજયી નીવડે છે. આ વ્યક્તિ જ આલોક તેમજ પરલોક માં સુખી થાય છે.
શ્રી વાત્સ્યાયન મહર્ષિ કહે છે કે, આ ગ્રંથની રચનામાં એ દરેક આચાર્યોના ગ્રંથોનો આધાર લેવાયેલો છે જેમણે ધર્મ, અર્થ અને કામ શાસ્ત્રની રચના કરી છે. એટલે જ અહીં જે નમસ્કાર કહેવામાં આવ્યા છે એ તેમના પ્રતિ કૃતજ્ઞતા, ધન્યવાદ અને આદરભાવ પ્રદર્શિત કરવા માટે જ છે.
પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરી તેના જીવનને ક્રમપૂર્વક ચલાવવા માટે તથા તેમના ધર્મ, અર્થ અને કામની સિદ્ધિને માટે સૌ પ્રથમ એક અધ્યાયમાં કામસૂત્રની રચના કરી.
આ શાસ્ત્રના ધર્મ વિષયક અંગને બ્રહ્માના પુત્ર મનુએ અલગ કરી લીધું અને તેની નવી જુદી રચના કરી. આ રચનાને માનવધર્મશાસ્ત્ર કહે છે. આ માનવધર્મશાસ્ત્ર તે જ મનુસ્મૃતિ.
બૃહસ્પતિએ અર્થશાસ્ત્ર બનાવ્યું.
મહાદેવના અનુચર નંદીએ એક હજાર અધ્યાયમાં કામસૂત્રને પૃથક કર્યું.
નંદીએ રચેલા આ કામસૂત્રને ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુએ પાંચસો અધ્યાયમાં સંક્ષિપ્ત કરી એક અલગ જ કામસૂત્ર લખ્યું.
છેવટે, પંચાલ દેશવાસી બભ્રુના પુત્ર બાભ્રવ્ય એ શ્વેતકેતુના સક્ષિપ્ત શાસ્ત્રને દોઢસો અધ્યાયમાં રચી-
૧. સાધારણ
૨. સામ્પ્રયોગિક
૩. કન્યાસમ્પ્ર્યુક્તક
૪. પારદારિક
૫. ભાર્યાધિકારિક
૬. વૈશિક
૭. ઔપનિષદિક
આ સાત અધિકરણોમાં વિભક્ત કરી સંક્ષિપ્ત કર્યું.
આ પ્રકારે જોતા આ શાસ્ત્રમાં કુલ
૩૬ અધ્યાય
૬૪ પ્રકરણ
૭ અધિકરણ અને
૧૨૫૦ શ્લોક છે.
Novedades más recientes 3.0
Información de kamsutra APK
Versiones Antiguas de kamsutra
kamsutra 3.0
kamsutra 1.0

Descarga rápida y segura a través de APKPure App
¡Un clic para instalar archivos XAPK/APK en Android!